મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ રડવાના ફાયદા વિશે તો આવો જાણીએ સામાન્ય રીતે જ્યારે પણ કોઇ વ્યક્તિ રડે છે ત્યારે તેને કમજોર માનવામાં આવતો હોય છે. આ જ કારણ છે કે, પુરુષો રડવાનુ વધારે પસંદ કરતા નથી પણ ક્યારેક રડી લેવુ જોઇએ.
વિજ્ઞાનમાં આ વાત સાબિત થઇ છે કે, પોતાની ભાવનાઓને ખુલીને વ્યક્ત કરવાથી અથવા તો હસવાથી રોવાથી કેટલાંક ફાયદા શરીરને થાય છે. જે રીતે ખુલીને હસવાથી ફેફસાની કસરત થાય છે તેમજ મસલ્સને રાહત અનુભવાય છે એ જ રીતે રોવાથી પણ કેટલાંક ફાયદા થાય છે.ખુલીને હસવા ના ફાયદા તો દરેકને ખબર હશે, પરંતુ શું તમે જાણો છો કે જે રીતે હસવાના ફાયદા છે તે રીતે ધ્રુસ્કે-ધ્રુસ્કે રડવાના પણ અનેક ફાયદા છે. રડવાથી પણ તમારા સ્વાસ્થ્યને ફાયદો થાય છે.
તમે રડવાના ફાયદા જાણો છો? રડવું આમ તો કોઇને પણ પસંદ હોતું નથી. પરંતુ કેટલીક વખત એવી સ્થિતિ હોય છે કે તમારી આંખોમાં આંસુ આવી જ જાય છે. પરંતુ તમારા માટે આ વાત ખરેખર ખૂબ સારી છે. રડવું પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક જણાવવામાં આવે છે. પરંતુ જો તમારે રડવું જ છે તો તમે સાંજના સમયે રડો. તેના અનેક ઘણા ફાયદા થઇ શકે છે.વૈજ્ઞાનિક માને છે રડવું ખરાબ નથી. પરંતુ સ્વાસથ્ય માટે ખૂબ જ લાભદાયી છે. તેનાથી માનસિક દબાણ ઓછું થાય છે અને તમારા દુ:ખ જાહેર કરવાના આ પ્રાકૃતિક રીત છે. જેનું કોઇ નુકસાન થતુ
મિત્રો તમને જણાવી દઇએ કે 3 પ્રકારના આંસુ હોય છે જ્યારે આંખમાં કચરો અથવા તો ધુમાડો ગયો હોય ત્યારે રિફ્લેક્સ આંસુ આવે છે. બેઝલ આંસુમાં અંદાજે 98% પાણી હોય છે તેમજ તે આંખોને લુબ્રિકેટ રાખે છે તથા ઇન્ફેક્શનથી રક્ષણ આપે છે. ભાવનાત્મક આંસુમાં સ્ટ્રોસ હોર્મોન્સ તથા ટોક્સિનની માત્રા વધુ હોય છે. મનુષ્ય જ એકમાત્ર એવી પ્રજાતિ છે કે, જે રડી શકે છે.આરામનો અનુભવ.જો તમારુ મન ખુબ ભારે થઇ ગયુ હોય ત્યારે તમે મન ભરીને રડી લો તો હળવાશ અનુભવાય છે. વર્ષ 2014માં થયેલ સંશોધન પ્રમાણે તમે કોઇ વાતથી હેરાન છો તેમજ કંઇ પણ સારુ નથી લાગી રહ્યુ તો રડી લેવાથી ખુબ સારુ લાગશે. રડી લીધા પછી તમે સાચો નિર્ણય લેવામાં સક્ષમ હો છો.
દર્દથી મળે છે આરામ.જ્યારે તમે રડો છો ત્યારે બોડીમાં રહેલ ઓક્સીટોસીન તથા ઇંડોરફિર કેમિકલ્સ રિલીઝ થાય છે કે, જે તમારા મૂડને ખુબ સારુ બનાવે છે. આની સાથે-સાથે ફીઝીકલ તથા મેન્ટલ પેઇનને પણ ખુબ ઓછુ કરે છે.ફીલ ગુડ કેમિકલને કરે છે રિલીઝ.જ્યારે પણ તમે મન ભરીને રડી લો છો ત્યારે બોડીમાં રહેલ ઓક્સિટોક્સિન તથા ઇન્ડોર્ફિન જેવા કેમિકલ રિલીઝ થાય છે. આ ફીલ ગુડ કેમિકલ હોય છે કે, જેના રિલીઝ થવાથી તમને જાતે જ હળવાશનો અનુભવ થવા લાગે છે તેમજ થોડા સમયમાં મુડ બની જાય છે.
શરીરના ટોક્સિનને બહાર કાઢે.જ્યારે કોઇ તણાવને લીધે માણસ રડે છે ત્યારે તેના શરીરમાં રહેલ ટોક્સિન ધીમે-ધીમે આંસુ સ્વરૂપે બહાર નીકળી જાય છે. આ આંસુ કેટલાક ગુડ હોર્મોન રિલીઝ કરે છે તેમજ જે શારીરિક તથા માનસિક હેલ્થ માટે ખુબ સારા હોય છે.ઉંઘ ખુબ સારી આવે.વર્ષ 2015ની સ્ટડીમાં એવુ સામે આવ્યું હતું કે, બાળક જ્યારે રડે છે તેના તુરંત પછી તેને ખુબ સારી ઉંઘ આવે છે. આવુ વયસ્ક માણસોની સાથે પણ થતું હોય છે. રડવાથી મગજ શાંત થઈ જાય છે તેમજ બેચેનીમાં પણ ઘટાડો થાય છે જેનાથી ઉંઘ ખુબ સારી આવે છે.
મોટાભાગે કોઈ રડતું હોય તો લોકો તે વ્યક્તિને ચુપ કરાવી દેતા હોય છે અને રડતા લોકોને પસંદ પણ કરવામાં નથી આવતા. પરંતુ તાજેતરમાં જ સામે આવેલી એક સ્ટડી અનુસાર, જે રીતે પરસેવો અને યૂરિનના માધ્યમથી શરીરના ઝેરીલા તત્વો બહાર આવે છે, તે રીતે આંસુથી પણ બહાર આવે છે.એક રિસર્ચ અનુસાર, સ્ટ્રેસને કારણે રડવું અને આંખોમાં કોઈ તકલીફ હોય તેના કારણે પાણી નીકળવું તે બન્નેમાં ફરક છે. જ્યારે આપણે રડીએ છીએ તો શરીરમાંથી એડ્રેનોકૉર્ટિકોટ્રોપિક અને લ્યૂસીન નામના સ્ટ્રેસ હૉર્મોન નીકળે છે, પરંતુ અન્ય કોઈ કારણે આંખમાંથી પાણી નીકળે તો આવું કંઈ નથી થતું.
આંસુ મેંમબ્રેનને સુકાવા નથી દેતા. જો તે સુકાઈ જાય તો આંખોની રોશનીને અસર પડે છે, જેના કારણે લોકોને ઓછું દેખાવાની શરુઆત થઈ જાય છે. જો મેમબ્રેન જળવાઈ રહેશે તો આંખની દ્રષ્ટિ પણ લાંબા સમય સુધી જળવાઈ રહેશે આંસુઓમાં લાઈસોઝાઈમ નામનું તત્વ હોય છે, જે બહારના બેક્ટેરિયાનો નાશ કરવામાં મદદ કરે છે. આનાથી આંખમાં ઈન્ફેક્શન નથી થતું અને આંખો હેલ્ધી બની રહે છે. આ તત્વ આંખમાંથી ત્યારે જ નીકળે છે જ્યારે તમે રડો છો.
રડવાથી સ્ટ્રેસ દૂર થાય છે. આના કારણે મૂડ પણ સારું રહે છે. અનેક લોકો પોતાના ગુસ્સા અને સ્ટ્રેસને દબાવી રાખે છે, જે આગળ જઈને ભયંકર રુપ ધારણ કરે છે. જો સ્ટ્રેસ દૂર કરવું હોય અને રડવાનું મન થાય તો રડી લેવું જોઈએ. અમુક લોકોને લાગે છે કે રડવાથી તેમના સ્વાભિમાનને નુકસાન થશે. પરંતુ રડવાનું મન થાય તો રડી લેવું જોઈએ.