નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણા ચેહરા પર ખોટી સ્કિન કેર રુટીન, પ્રદુષણ, કેમિકલ પ્રોડક્ટનો વધારે પડતો ઉપયોગ કરવાથી નાના-નાના રોમ છિદ્ર જ્યારે મોટા અને ગંદા થઇ જાય છે તો ચહેરો ખરાબ દેખાવવા લાગે છે. આ ઉપરાંત ચેહરા પર ખીલ પણ થાય છે. આજે અમે તેનાથી છુટકારો મેળવવા માટે અમે લાવ્યા છે આ ઘરેલુ ઉપાય વિશેનાના-નાના રોમ છિદ્ર જ્યારે મોટા અને ગંદા થઇ જાય છે તો ચહેરો ખરાબ દેખાવવા લાગે છે. ઓઇલી સ્કિન હોય તે લોકોને આ સમસ્યા વધારે હોય છે. તેની સાથે જ આ બ્લેકહેડ્સ અને ખીલ જેવી સમસ્યાઓને આમંત્રણ આપે છે. એવામાં છોકરીઓએ ક્રીમ, મોંઘી ટ્રીટમેન્ટથી ઓપન પોર્સ ઓછા કરવાની કોશિશ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સમસ્યાને ઘરે કેવી રીતે દૂર કરી શકાય. નાના-નાના પોર્સ દ્વારા જ ત્વચા શ્વાસ લે છે. પરંતુ ક્યારેક ઓઇલી સ્કિનના કારણે સીબમ વધારે બનવા લાગે છે. જેનાથી પોર્સ ખુલી જાય છે.
ચેહરા પર ગંદકી ભરાવવાના કારણે ખીલ, બ્લેકહેડ્સ જેવી સમસ્યાઓ થવા લાગે છે પરંતુ તેનું એક કારણ ખોટી સ્કિન કેર રુટીન, પ્રદુષણ, કેમિકલ પ્રોડક્ટનો વધારે પડતો ઉપયોગ કરવો. ખાસ કરીને ગાલ પર ઓપન પોર્સની સમસ્યા જોવા મળે છે. જેનાથી તમે આઇસ ક્યૂબ્સની મદદથી સાફ કરી શકો છો. સાથે તેનાથી પોર્સ, મોટા પણ નહીં થાય અને સ્કિનને ટાઇટ બનાવીને ચહેરાની ચમક પણ વધારશે.
ઓપન પોર્સ જેવી સમસ્યા દૂર કરવા માટે તમે આઇસ ક્યૂબમાં થોડાક ટીપા એસેંશિયલ ઓઇલ કે એલોવેરા જેલ મિક્સ કરી શકો છો. તે સિવાય લીમડાનો રસ પણ ઓપન પોર્સની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. એક ટ્રેમાં પાણીની સાથે તેમા કોઇ પણ એક વસ્તુ મિક્સ કરી ચહેરાની મસાજ કરો. તમે એલોવેરા જેલને પાણીમાં મિક્સ કર્યા વગર પણ ક્યૂબ્સ બનાવી શકો છો. જો પોર્સ મોટા હોય તો રોજ આઇસ ક્યૂબ્સથી ચહેરાની મસાજ કરો. તેના માટે આઇસ ક્યૂબ્સને મલમલના કપડામાં લપેટી લો અને તેનાથીલ 3-5 મિનિટ ચહેરાને હળવા હાથે મસાજ કરો. તે બાદ તેને રાખી મૂકો. ધ્યાન રહે કે આ ટ્રીટમેન્ટ કરતા પહેલા ફેશવોશ જરૂર કરી લો.
સુંદરતાને નિખારતા ઘરેલુ ઉપાયોબે ચમચી ગુલાબજળમાં એક ટીપું ગ્લિસરીન અને બે ટીપાં લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણને મોઈશ્ચરાઈઝરની જેમ ચહેરા પર લગાવો અને આખો દિવસ રહેવા દો. તેનાથી ત્વાચા પરના મૃત કોષો દૂર થશે અને ત્વચા મુલાયમ અને ચમકતી બનશે.શું તમે પફી આઈઝથી પરેશાન છો? આ રહ્યો તમારી સમસ્ચાનો હલ. પાકા કેળાંનો માવો કરી લો અને તેને હળવા હાથે પફી આઈઝની આસપાસ લગાવો. પંદર મિનિટ રહેવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ નાંખો. પફીનેસ તરત જ ગાયબ થઈ જશે.
ચહેરા પર દાગધબ્બા કે બ્લેમિશિઝ થયા હોય તો તેને માટે એક સરસ ઉયાય છે. પાકા કેળાંના ટુકડાનો માવો કરી લો. તેમાં અડધી ચમચી લીંબુનો રસ અને એક ચમચી દહીં ઉમેરી બરાબર મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવી વીસ મિનિટ રહેવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. સપ્તાહમાં ત્રણ વાર આ રીતે નિયમિત કરવાથી ચહેરા પરના કાળા ડાઘ દૂર થશે અને ત્વચા કાંતિવાન બનશે. ત્વચા જો નિસ્તેજ થઈ ગઈ હોય તો તરબૂચના રસમાં અડધી ચમચી ગ્લિસરીન ભેળવીને ચહેરા પર મસાજ કરો. પાંચ મિનિટ પછી હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. સપ્તાહમાં બે દિવસ નિયમિત આ પ્રમાણે કરવાથી થોડા દિવસોંમાં જ ત્વચા ચમકતી અને કાંતિવાન બની જશે.
સપ્તાહમાં એક વાર ત્વચાને સ્ક્રબથી એક્સફોલિએટ જરૂર કરો. તેના માટે એક ચમચી રવો, એક ચમચી ચણાનો લોટ, એક ચમચી જવનો લોટ અને એક ચમચી હળદર ભેળવીને એક ડબ્બામાં ભરી લો. સપ્તાહમાં એક વાર આમાંથી એક ચમચી મિશ્રણ લઈ તેમાં એક ચમચી ગુલાબજળ અને અડધી ચમચી ગ્લિસરીન ઉમેરી પેસ્ટ બનાવો અને હળવા હાથે ચહેરા પર રગડો. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાંખો. આમ કરવાથી ત્વચા પરના મૃત કોષો દૂર થશે અને ચહેરો કાંતિવાન બનશે. હળદરમાં થોડું કાચું દૂધ ઉમેરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો. આનાથી ત્વચાને ક્ષતિ પહોંચાડનાર ફ્રી રેડિકલ્સ સામે લડવામાં મદદ મળે છે. શિયાળામાં હળદરની સાથે મલાઈ ઉમેરીને પેસ્ટ બનાવો, તેને ચહેરા પર દસ મિનિટ લગાવી રાખો. પછી ધીરેથી ચહેરા પર હળવા હાથે મસાજ કરો અને હૂંકાળા પાણીથી ચહેરો સાફ કરી લો. તમારી ત્વચા મખમલ જેવી સુંવાળી અને ચમકતી બની જશે.
હળદર, ચણાનો લોટ અને એલોવેરા જેલની પેસ્ટનો. આ પેસ્ટના ઉપયોગથી ત્વચા પર રહેલી વધારાની ગંદકી દૂર થઇ જાય છે અને ત્વચા પરના ડેડસેલ્સ પણ દૂર થઇ જાય છે. જેથી ત્વચા ચમકતી અને સુંદર બને છે. જે ખાસ પેસ્ટથી આ બધા જ ફાયદા થાય છે, એ પેસ્ટ બનાવવા માટેની રીત એક વાટકીની અંદર એક ચમચી હળદર, એક ચમચી ચણાનો લોટ અને એટલી જ માત્રામાં એલોવેરા જેલ ભેળવીને બધું જ સારી રીતે મિક્સ કરી લો. એટલે એક પેસ્ટ જેવું મિશ્રણ તૈયાર થઇ જશે અને આ મિશ્રણને ચહેરાને સાફ કરીને તેના પર લગાવી દો. હવે તેને ૩૦-૪૦ મિનિટ સુધી આમ જ રહેવા દો અને ચહેરા પર લગાવેલું આ મિશ્રણ સુકાઈ જાય એટલે સાફ પાણીથી ચહેરો ધોઈ લો. અઠવાડિયામાં આવું ૨ વાર કરવાથી તમારી ત્વચા પર રહેલી ગંદકી દૂર થઇ જશે અને ત્વચા ચમકવા લાગશે.
મુલતાની માટીનો ઉપયોગ ચેહરાની સુંદરતા વધારવા માટે વર્ષોથી કરવામાં આવે છે. મુલતાની માટી તમારા ચહેરા પર રહેલ વધારાના પ્રદૂષણ અને મેલને દૂર કરે છે. તથા તમારા ચહેરાને ખૂબ જ સુંદર બનાવી દે છે. પરંતુ જો મુલતાની માટી સાથે અમુક બીજી વસ્તુઓ મેળવીને તેનો ઉપયોગ કરવામાં આવે તો તે તમારા ચહેરાને એક જ અઠવાડિયામાં એકદમ ગોરો બનાવી દે છે. આ માટે એક વાટકી મુલતાની માટીમાં એક ચમચી ચણાનો લોટ અને ૧ ચમચી ચંદનનો પાઉડર ભેળવી લો. અહીં ખાસ ધ્યાન રાખવું કે ચંદન પાવડર સફેદ કલરનો હોય. કેમકે, આ પેસ્ટ ની અંદર ચંદનનો પાઉડર અને મુલતાની માટી એ બે અગત્યના તત્વો છે. ત્યારબાદ આ પાવડરમાં ગુલાબ જળ નાખી તેની એકદમ ઢીલી પેસ્ટ બનાવી લો તૈયાર છે આ પેસ્ટ.
હવે તમારા ચહેરાને સૌથી પહેલા ગુલાબ જળ વડે બરાબર સાફ કરી લો. આ માટે એક રૂની અંદર થોડું ગુલાબ જળ લઇ તમારા ચહેરા પર બરાબર ફેરવી લો. આમ કરવાથી ચહેરા પર રહેલ ધૂળ દૂર થશે અને તમારો ચહેરો બરાબર સાફ થઈ જશે. ત્યારબાદ તમારા ચહેરા પર આ પેસ્ટ લગાવી લો. પેસ્ટ લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ચહેરાના દરેક ભાગમાં એક સરખી પેસ્ટ લગાવવી. ચહેરા પરનો કોઈ પણ ભાગ રહી ન જવો જોઈએ. કેમ કે, આમ કરવાથી તમારા ચહેરા પર અડધો ચેહરો ગોરો અને અડધો ચેહરો પહેલા જેવો જ રહેશે.
આ પેસ્ટ લગાવ્યા બાદ તેને ચહેરા પર 15થી 20 મિનિટ સુધી રહેવા દો આ પેસ્ટ સુકાઈ જાય ત્યારબાદ તેને પાણી વડે બરાબર સાફ કરી લો. પાણી વડે મોં સાફ કરતી વખતે ચહેરા પર થોડી થોડી માલિશ પણ કરતી જેવી આ પેસ્ટને કારણે તમારા ચહેરા પર એક કુદરતી સ્ક્રબ પણ થશે. અને ચહેરા પરનો વધારાનો ઓઈલ પણ દૂર થશે સાથે સાથે ચહેરા પર રહેલ ડેડ સેલ પણ દૂર થાય છે. માત્ર એક અઠવાડિયા સુધી તમારા ચહેરા પર આ પેસ્ટ લગાવવાના કારણે તમારો ચહેરો બની જશે એકદમ ગોરો આ પેસ્ટનો ઉપયોગ તમે શરીરના અન્ય ભાગોને ગોરો કરવા માટે પણ કરી શકો છો.