ભગુડાવાળી માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે. માં મોગલના પરચા લાખો લોકોને થયા છે અને હજુ પણ માં મોગલનો સાક્ષાતકાર લોકોને થાય છે. જે લોકો પણ માં મોગલના દરબારમાં પગ મૂકે છે. માં કહ્યા વગર જ પોતાના ભક્તની તકલીફ દૂર કરી દે છે. બધા દેવી દેવતાઓમાં માં મોગલ એક છે.જે કહ્યા વગર પોતાના બાળકોના દુઃખ દૂર કરી દે છે. એનું નામ મોગલ કહેવાય.
માં મોગલે હજારો ઘરમાં દીકરા આપ્યા છે. ડોક્ટરોએ પણ થાકીને ના પાડી દીધી હોય કે હવે તમારે સંતાન થવાની કોઈ આશા નથી આવા દંપતીઓના ઘરે માં મોગલે દીકરા આપે છે.
ભગુડામાં જાઓ ત્યારે દીવાલ પર હજારો દીકરાઓના ફોટા લાગેલા છે. ભક્તો મોટી સંખ્યામાં અહીં આવેલા આ ભવ્ય મંદિરમા દર્શન કરવા આવે છે. એક વ્યક્તિએ પચાસ હજાર રૂપિયા માનતા રાખી હતી. તેઓ એમની માનતા પૂરી કરવા આવ્યા હતા.
બાપુ શ્રી મોગલકુલ ચારણઋષિએ એમની માનતા સ્વીકારી પચાસ હજાર એક રૂપિયો ઉમેરીને એ પૈસા દિકરાના જન્મ આપનાર એ જનેતા ને પરત કર્યા અને કહ્યું કે તું મારી દિકરી છે. મોગલ માંના આ મંદિરમાં ઘણા ભક્તો બાપુ મણીધરના દર્શન કરવા માટે આવતા હોય છે.
મંદિરમાં આવતા બધા ભક્તો બાપુ મણિધરના આશીર્વાદ લઇ માનેલી મનોકામનાઓ પુરી કરે છે. મંદિરમાં મોગલની સાથે સાથે મણિધર બાપુ બિરાજમાન છે.
તેથી મંદિરમાં આવતા ભક્તો મોગલમાં ની સાથે સાથે બાપુ મણિધરના આશીર્વાદ લે છે. બાપુ મોગલ કુળ ચારણ ઋષિએ મોગલ ધામ કાબરાઉમાં મહંત છે જેમને સદાય લોકોના કલ્યાણ માટે કાર્ય કરે છે.
ચિરાગભાઈ એક કંપનીમાં કામ કરતા હતા. તેમનો પગાર 50000 રૂપિયા હતો. તેઓ અચાનક નોકરીમાંથી છૂટા થઈ ગયા. તે ખૂબ જ દુઃખી હતા તેમને મોગલ ની માનતા રાખી. માં મોગલ એ તેમની માનતા પૂરી થઈ ત્યારે ચિરાગભાઈ માં મોગલના ધામે આવ્યો હતો.
મણીધર બાપુના આશીર્વાદ કરીને તેઓ 50,000 રૂપિયા મણીધર બાપુને આપ્યા ત્યારે મણીધર બાપુએ તેમાં એક રૂપિયો ઉમેરીને તે પૈસા પાછા આપ્યા અને કહ્યું કે તારી બહેન કે ફોઇને આપી દેજે માં મોગલને આ પૈસાની જરૂર નથી બસ એ તો ભાવના ભૂખ્યા છે. માં મોગલ એ તારી માનતા 100 ઘણી સ્વીકારી લીધી છે.