સવાલ.મારી છાતીથી લઈને પેટ સુધી નાના નાના વાળ ઊગી નીકળ્યા છે. એનાથી છુટકારો મેળવવાનો કોઈ ઘરગથ્થુ ઉપાય બતાવશો. હોઠ ઉપર પણ નાના નાના વાળ પણ છે. આમ તો હું ઉબટણનો નિયમિત ઉપયોગ કરું છું. એનાથી ખાસ ફેર પડયો નથી.તો હું શું કરું?.
જવાબ.આછાં રૂંવાં ઊગી આવવાં એ સામાન્ય બાબત છે. એને લઈને મન પર ભાર ન રાખવો. આવા વાળ દરેકના શરીર પર જોવા મળે છે. જો તમારા કિસ્સામાં કોઈ ખાસ કારણને લીધે આ વાળ તમને પરેશાન કરી રહ્યા હોય, તો તમે તેમનાથી છુટકારો મેળવવા અથવા તેમને છુપાવવા માટે આ પ્રમાણેના ઉપાય અપનાવી શકો છો.
હોઠ ઉપર દેખાતા વાળને થ્રેડિંગથી દૂર કરી શકાય છે અથવા બ્લીચિંગથી છૂપાવી શકાય છે.આનાથી વાળનો રંગ સોનેરી પણ થઈ જશે અને તે દેખાશે નહીં. બીજો વિકલ્પ ઈલેક્ટ્રોલિસિસ કરાવવાનો છે. પેટ પર ઊગી આવેલા વાળને એમ ને એમ જ રહેવા દો. જો તે ન ગમતા હોય તો ત્યાં ઈલેક્ટ્રોલિસિસ કરાવવું એ જ ઉત્તમ ઉપાય છે.
સવાલ.હું એક એફ.વાય.બી.કોમ ની વિદ્યાર્થી છું. હું કોઈપણ છોેકરી અથવા કોઈ અશ્લીલ દ્રશ્ય જોતાં જ એટલો બધો ઉત્તેજિત થઈ જાઉં છું કે, જાત પર કાબૂ રાખી જ શકતો નથી. આ કારણસર મેં ૫-૬ વાર ખોટી જગ્યાએ જઈ કેટલીક છોકરીઓ સાથે સંબંધ પણ બાંધ્યો છે. મારા આ કાર્ય માટે હું આત્મગ્લાનિ પણ અનુભવું છું, પરંતુ લાચાર છું. હું મારી જાત પર કાબૂ રાખી શકું એવો કોઈ ઉપાય કે દવા બતાવશો?.
જવાબ.દરેક વ્યક્તિમાં સે@ક્સની ભાવના વધારે કે ઓછી હોય જ છે. તે માટેની કોઈ જ દવા નથી. આ અંગે તમારે થોડાં વર્ષ સંયમપૂર્વક વર્તવું પડશે. માણસની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. તમે કોશિશ દ્વારા તમારી જાત પર કાબૂ મેળવી શકો છો.
તે માટે અભ્યાસ અને રમતગમત વગેરે તરફ તમારી જાતને વધુમાં વધુ પ્રવૃત્ત રાખો, તે જરૂરી છે. આના લીધે તમારું ધ્યાન બીજે નહીં દોરવાય. ઉન્મુક્ત જાતીય સંબંધ બાંધવાની તમને એઈડ્સ જેવો જીવલેણ રોગ પણ થઈ શકે છે, તેથી અનૈતિક સંબંધોથી દૂર રહો.
સવાલ.મારી એક સહેલી સાથે મારો સમલૈંગિક સંબંધ છે. મારું વ્યક્તિત્વ છોકરાના વ્યક્તિત્વ જેવું છે અને મારી બહેનપણી મને એનો પતિ માને છે. અમે બંને કાયમ સાથે રહેલા માગીએ છીએ, પરંતુ અમારાં કુટુંબીજનો વિરોધ કરે છે. શું કરવું?.
જવાબ.તમારું વ્યક્તિત્વ ભલે ગમે તેવું હોય, પરંતુ સચ્ચાઈ એ છે કે તમે યુવતી છો. આ વાસ્તવિક્તા સ્વીકારીને એ છોકરી સાથે બીજી બહેનપણીઓ સાથે રાખતાં હો એવો જ સંબંધ રાખો. સામાન્ય રીતે લગ્ન પછી આવા સમલૈંગિક સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જતું જ હોય છે.
સવાલ.હુ એક નોકરી કરતી પરિણીતા છું. દેખાવમાં પણ સુંદર અને સ્માર્ટ છું. મારું દામ્પત્યજીવન સુખમય છે. મારું કુટુંબ સમૃદ્ધ છે. સામાન્ય રીતે હું બહુ ઓછા લોકો સાથે હળીમળી શકું છું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મારા નવા ઓફિસર, જે આધેડ વયના હોવા છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે.
તેમના પ્રત્યે એટલી બધી આકર્ષાઈ છું કે પહેલાં ઈશારાથી અને પછી શાબ્દિક રીતે મારી લાગીણી મેં વ્યક્ત કરી છે. એમને જોયા વિના એક દિવસ પણ રહેવાતું નથી. અમારી વચ્ચે ચુંબનનું આદાનપ્રદાન પણ થાય છે, પરંતુ હું મર્યાદામાં રહેલા ઈચ્છું છું. હું કંઈ અનૈતિક તો નથી કરી રહી ને?
જવાબ.તમારું દામ્પત્યજીવન સુખમય હોવા છતાં તમે પરપુરુષ પ્રત્યે આકર્ષાયા છો એટલું જ નહીં, તમારી લાગણીને દબાવવાને બદલે તમે એમને શાબ્દિક અભિવ્યક્તિ દ્વારા સામેથી આમંત્રણ આપ્યું છે. એક પરિણીતા સ્ત્રી, જેનો પતિ એને અનહદ ચાહે છે, તેના માટે આવું વર્તન શોભાસ્પદ નથી. તમે જો ખરેખર મર્યાદામાં રહેવા ઈચ્છતાં હો, તો તમારા અધિકારી સાથેના સંબંધ ન રાખો. તમે નોકરી કરવા ઓફિસે જાવ છો, એટલે તમારા કામ પ્રત્યે વધુ ધ્યાન આપો, તે જ વધારે સારું રહેશે.
સવાલ.મેં પ્રેમલગ્ન કર્યા છે. છતાં મારા ઘરના સભ્યોએ યથાશક્તિ દહેજ આપ્યું છે પણ સાસરીના સભ્યોની અપેક્ષાએ તેમને ઘણું ઓછું લાગે છે. ખરું જોતાં, મારા પતિનો સંબંધ મારાં સાસું જ્યાં કરવા ઈચ્છતાં હતાં ત્યાંથી તેમને ખૂબ ધનદોલત દહેજમાં મળવાની હતી. તે છોકરી તેમની કરોડપતિ બહેનપણીની એકની એક દીકરી હતી. પણ મારી સાથે લગ્ન કરીને પતિએ બધું ગુમાવી દીધું.
હવે મારાં સાસુ ઊંઘતાજાગતાં મને મહેણું મારે છે. તે બધું મારા પતિને કહું છું તો તે કહે છે તેને બોેલવા દે, તું શા માટે ચિંતા કરે છે. હું બી.એ., બી.એડ. થયેલી છું. લગ્ન પહેલાં સ્કૂલમાં ભણાવતી હતી. વિચારું છું કે ફરીથી નોકરી જોઈન્ટ કરી જ લઉં. દૂર રહેવાથી થોડી તો રાહત મળશે. શું આનાથી મારી મુશ્કેલીનો ઉકેલ આવશે કે પછી ઘરબહાર બંને જવાબદારીઓથી થાકીને લોેથપોથ થઈ જઈશ.
જવાબ.તમે કહો છો કે તમારી સાથે લગ્ન કરતાં પહેલાં તમારાં સાસુ પોતાના દીકરાનાં લગ્ન કોઈ પૈસાદાર છોકરી સાથે કરાવવા ઈચ્છતાં હતાં. પરંતુ તમે તેની ઈચ્છાઓ પર પાણી ફેરવી દીધું. એટલે તે ગુસ્સે થાય એ સ્વાભાવિક છે.
આમ પણ શરૂઆતમાં લેણાદેણીને લઈને આવા પ્રકારની બોલાચાલી થાય છે, પણ થોડા સમય પછી બધું શાંત સામાન્ય થઈ જાય છે. એટલે તમે ચિંતા ન કરો. તમારો નોકરી કરવાનો વિચાર પણ વાજબી છે. આથી ત્યાં તમને ઘરથી દૂર બહારનું અલગ વાતાવરણ મળી જશે અને આર્થિક રીતે પણ તમે સક્ષમ થઈ જ જશો.
સવાલ.હું ૩૧ વર્ષની બે બાળકોની મા છું, મેં પ્રેમલગ્ન કર્યાં છે. લગ્ન પછી દિયર અને નણંદ થોડાં જબરા હોવા છતાં મને સાસુસસરાનો ભરપૂર પ્રેમ મળ્યો. સાસુના અવસાન પછી મારી જેઠાણી અમારી સાથે રહેવા આવી ગઈ. જેઠાણી મારા પતિ અને દિયર પાસે પોતાની બધી વાતો સ્વીકારાવે છે. મારી વિરુધ્ધ એમને ચડાવે છે, જેથી આંતરેદિવસે કંકાસ થાય છે.
મારા પતિ આમ તો મને બહુ પ્રેમ કરે છે, પરંતુ કાચા કાનના હોવાથી જેઠાણીની વાતોથી ભરમાઈને મારી સાથે ઝઘડે છે. ૧-૨ વાર હાથ ઉપાડી ચૂક્યા છે. મારાં બાળકો પણ ગભરાયેલાં રહે છે. હું શું કરું એ સમજાતું નથી.એક બીજી વાત પણ સ્પષ્ટ કરી દઉં કે મારી જેઠાણીનાં લગ્નની વાત પહેલાં મારા પતિ માટે આવી હતી, પરંતુ મારા પતિએ મારા કારણે એ સંબંધની ના પાડી દીધી હતી. મારી જેઠાણી મારા કરતાં વધારે સુંદર અને મિલનસાર છે.
જવાબ.તમારી સમસ્યા એટલી બધી ગંભીર નથી, જેટલી તમે એને બનાવી દીધી છે. તમારી ભીતરમાં ડોકિયું કરો, તો જણાશે કે તમે જેઠાણીનાં રૂપ અને ગુણની ઈર્ષા કરો છો. તમારા મનમાંથી ઈર્ષાની ભાવના કાઢી નાખો અને તેમને માન આપો. ઝઘડાનું મૂળ જ નહીં રહે. તમારા પતિ તમને ખૂબ ચાહતા હતા અને હજી પણ ચાહે છે એટલે જ તેમણે તમારી સાથે લગ્ન કર્યાં છે.
પતિ પર વિશ્વાસ કરો. તેમને મેણાં-ટોણાં મારી પરેશાન ન કરો. ભરપૂર પ્રેમ આપો અને તેમનો પ્રેમ જીતવા એમના પરિવારનાં બીજાં સભ્યોને પણ સહન કરતાં શીખો. ઘરનું વાતાવરણ પ્રેમભર્યું બની જશે, એટલે બાળકો પણ ખીલી ઉઠશે.