મિત્રો જો તમે સનાતન રીવાજો અને કાલભૈરવ તેમજ દેવો ના દેવ મહાદેવ મા માનો છો તો આ લેખ મિત્રો તમારા માટે જ છે મિત્રો આપણે બધા એ જાણવા ઉત્સુક હોઇએ છે કે મૃત્યુ ની પેહલા શુ થાય છે મિત્રો સનાતન માન્યતા ની ઉપર આધારિત આ કહાની આ સત્ય જ માનવતાનુ સત્ય છે મિત્રો મૃત્યુ અજય છે કોઇપણ માનવી ઇચ્છે તો પણ આ સત્ય ને બદલી નથી શકતો જેટલુ મૃત્યુ સત્ય છે અને તેટલા જ સત્ય ભગવાન શિવ છે મિત્રો જો જોવા જઈએ તો શિવ ને આપણે નામ મા નથી બાધી શકતા પરંતુ શિવ ના અનેક નામ છે જેવા કે રૂદ્રા,શંકર,ત્રિપુરારી, સોમનાથ,બૈધનાથ,મહાકાલ કાલ ભૈરવ ,ઔધર,અને અનત નામોથી ઓળખનારા ભગવાન શિવ જ આ ભ્રમાંડ ના નિર્માતા છે.
મિત્રો મહાદેવની નગરી કાશી પૌરાણિક માન્યતાઓ નુ આનંદવન અને વર્તમાન સમય મા વારાણસી ને આપણે મોક્ષ ધામ તરિકે ઓળખીએ છે મિત્રો કહેવાય છે કે કાશી મા મૃત્યુ થનારાઓ ને સ્વર્ગ મા ભગવાન ના ચરણો મા સ્થાન મળે છે અને આ માન્યતા ની સાથે સારા લોકોની સાથે સાથે જિંદગીભર ખરાબ કર્મો કરનારા લોકો પણ તેમના મૃત્યુ ના સમયે કાશી આવવા લાગ્યા મિત્રો જેમના કર્મો પણ બેકાર છે તેવા લોકો પણ સ્વર્ગ જવાની ઈચ્છા થી કાશી આવવા લાગ્યા.
મિત્રો કાશીની ધરતી જે ભગવાન શિવના પ્રેમ માટે જાણીતી છે ત્યા પાપી અને અધર્મી લોકો પણ આવવા લાગ્યા અને તેથી દેવો ના માટે આ એક ચિંતા નો વિષય બનવા લાગ્યો તેમજ મિત્રો સ્વર્ગ અને નરક મા જવાનો આધાર શરૂઆત થી જ મનુષ્ય નો કર્મ રહ્યુ છે સ્વર્ગ નો દરવાજો તેમના માટે જ છે જેઓ પોતાના જીવનભર ધર્મ ના માર્ગ ઉપર ચાલ્યા છે અને તેવામાં અધર્મી લોકો પણ મહત્વકાંશી થઇ ગયા અને દેવલોક ની ઇચ્છા મા કાશી આવવા લાગ્યા.
મિત્રો મહાદેવ નુ કાલભૈરવ રૂપ આવી સમસ્યાઓ નુ નિવારણ કરે છે મિત્રો કાલ એટલે સમય ભગવાન નુ એ રૂપ જે સમય નો દેવતા છે મહાદેવનુ મહાકાલ રૂપ જ સમય નો દેવતા છે અને સમય અર્થાથ શિવ અને એટલા માટે આપણે કોઇના મૃત્યુ પર કહીએ છે કે આ માણસ નો સમય પુરો થઈ ગયો છે મિત્રો મહાદેવનુ કાલભૈરવ રૂપ મનુષ્ય ના જીવન સાથે ન્યાય કરે છે દરેક મનુષ્ય તેના મૃત્યુ ના 40 સેકન્ડ પેહેલા ભૈરવી પીડામા થી પસાર થાય છે અને આ 40 સેકન્ડ મા મનુષ્ય પોતાના પાછળ ના જન્મ થી લઈને આ જન્મ અને બીજા ઘણા બધા જન્મોના કર્મો ને આ 40 સેકન્ડ ના સમય મા તેની આંખો ની નજીક ખુબજ ઝળપથી જોઈ શકે છે.
મનુષ્ય ના કર્મો એટલી ઝડપથી પસાર થવાના કારણે તે સમય ખુબજ પીળાદાયક હોય છે અને તેને ભૈરવી યાતના કહેવામા આવે છે મિત્રો યાતના એટલે પીળા મિત્રો તકલીફ અને દુખ એકસરખા છે જેવી પીળા મનુષ્ય નર્ક મા ભોગવે છે આ 40 સેકન્ડ ના સમય મા મનુષ્ય પોતાની એટલી ઝડપી ગતી થી દોડે છે અને મરનાર વ્યક્તિ પોતાના બધાજ જન્મો ના કર્મો ને આજ સમય મા જુવે છે અને ત્યાર પછી જ પ્રાણ શરીરને છોડી દે છે તેમજ આ સમય ના દેવતાને આપણે કાલભૈરવ પણ કહીએ છે જે મહાદેવના રૂપ મા હોય છે.
મિત્રો મનુષ્ય મૃત્યુ ના ખુબજ નજીક ના સમયે આ 40 સેકન્ડ તેના આખા જીવનના કર્મો ને ખુબજ ઝડપી ગતિથી તે મરનાર વ્યક્તિની આંખો ની ખુબજ નજીક મુકી દે છે મૃત્યુ કોઇપણ રોગ થી થઇ હોય પરંતુ આ પીળા દરેક ને ભોગવવી જ પડે છે ભલે પછી તમે કોઈ રોગ કે બુઝુર્ગ થઈને મર્યા હોય દરેક સ્થિતિમા આ પીળા જ મનુષ્ય ના શરીર સાથે ન્યાય કરે છે.
મનુષ્ય ને જીવન જીવવા માટે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે મૃત્યુ એક દિવસમાં નથી આવતી મૃત્યુ દરરોજ ધીરે ધીરે આવે છે અને એક દિવસ તે પૂર્ણ થાય છે માણસની ક્રિયાઓ તેના ભાગ્યના સર્જકો છે. જીવન જીવવા માટે જે શરીર તમને મળ્યું છે તે એક માત્ર પાયો છે વાસ્તવિકતા ફક્ત શિવ છે અને જીવન જીવવાનો હેતુ શિવ ભક્તિ અને સત્કર્મ છે.