દિવા નો આ ચમત્કારી ઉપાય બનાવી શકે છે તમને કરોડપતિ,બસ ખાલી કરવો પડશે આ નાનકડો ઉપાય,પછી જોવો ચમત્કાર…

આપણો ભારત દેશ એ વિશ્વના ધાર્મિક દેશો માનો એક દેશ છે.જ્યાં દરેક ધર્મ ના વ્યક્તિઓ શાંતિ અને ઉલ્લાસ પૂર્વક રહે છે.અને દરેક ધર્મ ના પોતાના આગવી રિતી રિવાજો છે.અને તેઓ ખુબજ શ્રદ્ધા પૂર્વક તેનું પાલન કરે છે.આપણે સૌ જાણીએ છીએ કે હિન્દૂ ધર્મ પડતા વ્યક્તિઓ દેવી દેવતાઓ ની પૂજા કરે છે.દરેક ધર્મ નો વ્યક્તિ તેમના રીતિ રિવાજો ને અનુકૂળ કાર્યો અને રિવાજો નિભાવે છે.હિન્દૂ ધર્મ ના લોકો પૂજા કરતા સમયે દીવો અને અગરબત્તી કરે છે. હિન્દૂ ધર્મ માં આ બન્ને બાબતો ને ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે.પરંતુ મુસ્લિમ ધર્મ માં દિવા પ્રગટાવામાં નથી આવતો. તેમજ ઈસાઈ ધર્મ માં પણ દીવો નથી પ્રગટાવામાં આવતો પરંતુ અહીં દિવા ની જગ્યાએ મીણબત્તી પ્રગટાવામાં આવે છે.

આપણે જો હિન્દૂ તહેવાઓ ની વાત કરીએ તો તમાં દિવાળી એ મુખ્ય તહેવાર છે.અને આ તહેવાર માં દીવો પ્રગટાવી ને ઉજવાસ કરવામાં આવે છે.પરંતુ જોવા જઈએ તો થોડા કેટલાક સમય થી આ રીત માં બદલાવ આવી રહ્યો છે. હમણાં વ્યક્તિઓ મીણબત્તી અને રંગબેરંગી લાઈટો લગાવામાં આવી રહી છે. સામાન્ય રીતે દિવા ની જગ્યાએ આ વસ્તુઓ નો પ્રયોગ કરવાથી નુકસાન પણ થઈ શકે છે.

શાસ્ત્રોમાં દેવી-દેવતાઓની પૂજા સમયે તેમજ દેવી-દેવતાને પ્રસન્ન કરવા માટે દીવો કરવો જરૂરી માનવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ આ વાત કહેવાઇ છે કે રોજ દીવો કરવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઇ રહે છે. દીવાના જ અમુક ઉપાય પણ જ્યોતિષ શાસ્ત્રમાં આલેખવામાં આવ્યા છે જે કરવાથી તમે તમારા ભાગ્યને ચમકાવી શકશો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અજાણ્યો ભય ને શત્રુઓ સામે રક્ષા કરવા માટે આપણે રોજ ભૈરવનું સ્મરણ કરીને દીવો કરવો જોઇએ. પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહે તે માટે પણ રોજ ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરીને દીવો પ્રગટાવવો જોઇએ.

દીવો કરવાનું મહત્ત્વ જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે શુભ કાર્ય અને ધાર્મિક અનુષ્ઠાનોમાં તેલ કે દેશી ઘીનો દીવો કરવાથી ઈશ્વરની આરાધના કરવામાં આવે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે દીવો કરવાથી દેવી-દેવતાઓની પૂજા કરવાથી દરેક તકલીફ દૂર થાય છે. કહેવાય છે કે દીવાના પ્રકાશમાં સાક્ષાત્ ઈશ્વરનો વાસ હોય છે. આરતી કરતી વખતે પૂરા ભાવથી દીવો કરવાથી ભગવાન તમારાં સર્વ દુઃખ હરી લે છે. દીવો કરવાથી બીજા પણ અનેક ઉપાય વિશે જ્યોતિષશાસ્ત્રમાં આલેખવામાં આવ્યું છે. તે વિશે વિગતે વાત કરીએ.

જો વડીલો દ્વારા કહેવામાં આવેલી બાબતો નું ધ્યાન રાખીએ તો ઘરમાં દીવો પ્રગટાવા થી ઘર ની અંદર સુખ સમૃદ્ધિ આવે છે.એવું પણ માનવામાં આવે ચેનકે જે ઘર ની અંદર સવાર સાંજ દીવો પ્રગટાવામાં આવે તે ઘરે ના સદસ્યો અંધકાર થઈ અજવાસ તરફ પ્રયાણ કરે છે.અને દીવો કરવાથી આજુ બાજુ રહેલ શુભ શક્તિઓ આકર્ષાય છે.પહેલા ના સમયમાં ફક્ત માટી નાજ દીવડા નો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ આજ કાલ ઘણીબધી પ્રકારના દીવડા બજારમાં ઉપલબ્ધ છે.

શનિપ્રકોપથી મુક્તિ મળશે ઘણાં લોકોની કુંડળીમાં શનિ દોષ હોય છે. શનિ દોષ હોવાને કારણે જીવનમાં અનેક તકલીફનો સામનો કરવો પડતો હોય છે. ઘણી વાર એવું બનતું હોય છે કે માણસને જાણ પણ નથી હોતી કે તેની કુંડળીમાં શનિ દોષ છે, આ દોષને કારણે વ્યક્તિને જીવનમાં કોઇ ને કોઇ તકલીફ સતાવતી રહે છે. માણસ મહેનત કરીને થાકી જાય તો પણ તેને પોતાના કામમાં સફળતા નથી મળતી હોતી, આમાં તેની મહેનતનો વાંક નથી હોતો, આમાં તેની કુંડળીનો વાંક પણ હોય છે. કુંડળીમાં રહેલા શનિના દોષને કારણે પણ તેને આ સમસ્યાનો ભોગ બનવું પડતું હોય છે. શનિ સિવાય રાહુ કેતુનો દોષ કુંડળીમાં જણાય તો સવાર સાંજ અળસીના તેલનો દીવો કરવાથી આ દોષમાંથી મુક્તિ મળી જેશે. જ્યારે શનિના દોષનિવારણ માટે દર શનિવારે શનિ મંદિરમાં સરસિયાના તેલનો દીવો કરવો. તેનો દીવો કરવાથી તે દોષ પણ દૂર થશે, તેમજ તમારા દરેક સારાં કામમાં તમને સફળતા મળશે.

ડર પર વિજય તમને કે તમારા ઘરના કોઇપણ સભ્યને ડર લાગતો હોય, કોઇ જગ્યાએ જવામાં તમારું મન વિચલિત થઇ જતું હોય, મનમાં સત્તર સવાલ થતા હોય અથવા તો વ્યાકુળતા આવી જતી હોય, મનમાં કોઇ અજાણ્યો ભય સતાવતો હોય સોમવારે અને શનિવારે ભૈરવના મંદિરે જઇને સરસિયાના તેલનો દીવો કરવો. આ ઉપાય અજમાવવાથી તમને કે તમારા ઘરના સભ્યોને ડરનો અનુભવ થાય. ઘરના કોઇપણ સભ્ય વતી આ દીવો કોઇપણ કરી શકે છે. આટલું જ નહીં ભૈરવના મંદિર દીવો કરવાથી તમારા દુશ્મનોની મેલી મંશા પણ દૂર થઇ જશે. તેમના બદઇરાદા તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. ભૈરવજીની કૃપા હંમેશાં તમારી આસપાસ રહેશે, તેથી તમને જીવનમાં કોઇપણ તકલીફ નહીં થાય.

માન-સન્માન વધશે જે વ્યક્તિ સમાજમાં પોતાની અલગ ઓળખ બનાવવાની મહેચ્છા રાખતી હોય, સમાજ તેમજ પરિવારમાં માન સન્માન ન મળતું હોય, દરેકને ઉપયોગી થવા છતાં પણ માન-સન્માન ન મળતું હોય તો રોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરીને ઘરના પૂજાઘરમાં દીવો કરવો. અટવાયેલાં કામ પૂરાં કરવાં હોય તો સૂર્ય દેવને જળ ચડાવી દીવો કરી તેમની આરતી કરો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આમ કરવાથી સૂર્યદેવ મનની દરેક મહેચ્છા પૂરી કરે છે.

સુખ-સમૃદ્ધિ માટે જરૂરી ઉપાય ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે તે માટે રોજ બાળગોપાળ સામે એક દીવો કરવો તેમજ દર ગુરુવારે વિષ્ણુ ભગવાન સામે દીવો કરવાથી ઘરમાં હંમેશાં સુખ અને સમૃદ્ધિ રહે છે. ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય તેમજ નકારાત્મક ઊર્જા સામે ઘરને તેમજ ઘરના સભ્યોને રક્ષણ મળે તે માટે ૐ નમો ભગવતે વાસુદેવાયની રોજ એક માળા કરવી જોઇએ.

આર્થિક સમસ્યા દૂર થશે. જે વ્યક્તિને આર્થિક સમસ્યા સતાવતી હોય, ઘરમાંથી લક્ષ્મીનો કારણ વગરનો વ્યય થતો હોય તેમજ આવેલી લક્ષ્મી દેખાતી જ ન હોય તો દેવી લક્ષ્મી સમક્ષ સાત મુખી દીવો કરવો. સાત મુખી દીવો કરવાથી આ સમસ્યા દૂર થશે. જ્યારે બાળકો ભણવામાં અવ્વલ બને તે માટે બે મુખી દીવો સરસ્વતી દેવીની સામે પ્રગટાવવો ધનની રેલમછેલ ઘરમાં ધનનું સુખ કાયમ માટે પ્રાપ્ત થાય તે માટે દર બુધવારે ગણેશજીની સામે ત્રણ મુખી દીવો કરવો તેમજ તેમને દુર્વા ઘાસ ચડાવવાથી ઘરમાં હંમેશાં ધનની રેલમછેલ જ રહેશે.

ઘર ની અંદર દીવો પ્રગટાવા સાથે વૈજ્ઞાનિક કારણ પણ માનવામાં આવે છે કેજો ચોખ્ખા ઘી અથવા રાઇ નું તેલ નો દીવો કરવાથી ઘરની અંદર નકારાત્મક ઉર્જા નો નાસ થાય છે અને સકારાત્મક ઉર્જા નો વધારો થાય છે.તેમજ તેલ ના દિવા નો પ્રભાવ તેના ઓલવાયા ના અડધી કલાક સુધી રહે છે.જયારે ઘી ના દીવો ઓલવાયા પછી પણ 4 કલાક સુધી તેનો પ્રભાવ બનાવી રાખે છે.

જો તમે દીવો પ્રગટાવો છો તયારે દિશા નું પણ ધ્યાન રાખવું જોઈએ. દીવો ની જ્વાળા જો પૂર્વ દિશા માં હોય તો વ્યક્તિ ની આયુષ્ય માં વધારો થાય છે અને જો જ્વાળા ઉત્તર દિશા માં હોય તો તમને ઘન ની પ્રાપ્તિ થશે.દિવા પ્રગટાવા સાથે યોગ્ય ફળ મેળવવા ઇચ્છતા હોવ તો નીચે જણાવેલ મંત્રો નો જાપ અવસ્ય કરો.

About bhai bhai

Check Also

શનિવાર ના દિવસે ખાવ આ દાળ ની બનેલી ખીચડી,શનિદેવ થઈ જશે પ્રસન્ન…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …