આજે હું તમને એક એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યો છું કે જેમાં 10 વર્ષના છોકરાએ તેનાથી મોટી 15 વર્ષની ભાભી સાથે લગ્ન કર્યા છે પણ લગ્નની બીજી જ રાત્રે કઈક એવું થયું હતું જેના વિશે આજે હું તમને જણાવીશું તેમજ આપના સમાજમાં લગ્નનું ઘણું મહત્વ હોય છે અને તેમજ લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે.પતિ પત્ની એક બળદ ગાડી જેવું જીવન હોય છે જો બળદ ગાડીના બે પૈડાંમાંથી એક પૈડું નીકળી જાય તો તે ગાડી કઈ કામ વગરની થઈ જાય છે તેવું પણ માનવામાં આવે છે.
આજ રીતે જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે. એવું પણ કહેવામાં આવે છે કે લગ્ન કરવા કોઈ નાના છોકરા જેવી રમત નથી, પણ તેમ છતાં ઘણા લોકો બળજબરીથી નાની ઉંમરના છોકરાઓને લગ્ન જેવી મોટી જવાબદારી વચ્ચે ધકેલી દે છે આવું જ એક પગલું ઉઠાવવું બિહારના રહેવાસી એક કુટુંબને એટલું મોંઘુ પડ્યું કે તેમણે પોતાના બાળકોના જીવનથી દુર થઇ જવું પડ્યું હતું. આવો વિગતવાર જાણીએ શું છે આખી ઘટના.વાત છે બિહારના પટના શહેરના એક કુટુંબની.
અહીંના એક કુટુંબે પોતાના ૧૫ વર્ષના દીકરાના બળજબરીથી પોતાની વિધવા ભાભી સાથે લગ્ન કરાવી દીધા અને આ ભાભી અને દિયરની ઉંમરમાં લગભગ 10 વર્ષનો તફાવત હતો તેમજ આ લગ્ન પછી એ છોકરાને એટલો મોટો આઘાત લાગ્યો કે તે ઘરેથી ભાગી ગયો, અને પછી તેના કુટુંબ વાળાને ફાંસી ઉપર લટકતો તેનો મૃતદેહ મળ્યો. આ ઘણી જ દુઃખદ ઘટના છે.મળેલી જાણકારી અનુસાર પીડિત બાળકનું નામ મહાદેવ હતું. મહાદેવ નવમાં ધોરણમાં ભણી રહ્યો રહ્યો હતો. મહાદેવના કુટુંબમાં તેના પિતા અને માતા ઉપરાંત તેમના મોટા ભાઈ સંતોષ દાસ રહેતા હતા. સંતોષનું દુર્ભાગ્યપૂર્ણ એક અકસ્માત દરમિયાન મૃત્યુ થઇ ગયું.
મોટા દીકરા સંતોષના મૃત્યુ પછી જયારે તેની પત્ની રૂબી દેવી વિધવા થઇ ગઈ, તો ઘરવાળાઓએ તેના લગ્ન પોતાના ૧૫ વર્ષના દીકરા સાથે કરાવી દીધા. આ લગ્ન કરવા માટે મહાદેવ રાજી ન હતો. તેણે પોતાના ઘરવાળાઓને ઘણી વખત ના કહી પણ તેના ઘરવાળાએ મહાદેવની વાત ન માની અને બળજબરીથી તેના લગ્ન પોતાની વિધવા ભાભી સાથે કરાવી દીધા હતા અને તેમજ આ લગ્ન થયા પછી મહાદેવ લગ્ન પછીની બીજી રાત્રે મહાદેવ ઘરેથી ભાગી ગયો. ઘરવાળાઓએ મહાદેવને શોધવાના ઘણા પ્રયત્ન કર્યા પણ તે ન મળ્યો. ત્યારબાદ બીજા દિવસે જયારે ઘરવાળાઓએ ફરી વખત મહાદેવને શોધવાનો પ્રયત્ન કર્યો, તો તેમને મહાદેવ મળ્યો તો ખરો. પણ મહાદેવ જે સ્થિતિમાં મળ્યો તે જોઈએ હોંશ ઉડી ગયા.
મહાદેવે ફાંસી ઉપર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. તે આ બળજબરીથી કરાયેલા લગ્નના દબાણને સહન કરી ન શક્યો અને તેણે તે દબાણ અને ટેન્શનને લીધે પોતાનો જીવ આપી દીધો. મહાદેવના આ મૃત્યુ માટે જવાબદાર તેના કુટુંબવાળા છે. જો મહાદેવના બળજબરી પૂર્વક લગ્ન ન કરાવ્યા હોત તો કુટુંબનો છેલ્લા વારસદાર આજે જીવિત હોત. પણ દુર્ભાગ્ય એ છોકરાના જે પોતાનું જીવન જીવી ન શકાયો.આવો હવે તમને એ જણાવીએ કે મહાદેવના ઘરવાળાઓએ તેના લગ્ન તેની વિધવા ભાભી સાથે બળજબરીથી શા માટે કરાવી દીધા. આમ તો જયારે મહાદેવના મોટા ભાઈ સંતોષનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું, તો તેના પિતાને વીમાના લગભગ ૮૦ લાખ રૂપિયા મળ્યા હતા. અને એ પૈસાને સંતોષની વિધવા પત્ની રૂબીદેવીના ઘરવાળા હડપ કરવા માંગતા હતા.
તેવામાં સંતોષના પિતાએ પોતાના નાના દીકરા મહાદેવના લગ્ન રૂબીદેવી સાથે તે વિચારીને કરાવી દીધા કે એ પૈસા ઘરમાં જ રહેશે. પણ તેમને શું ખબર હતી કે પોતાના મોટા દીકરાના મૃત્યુથી મળેલા પૈસા તેના નાના દીકરાનો જીવ લઇ લેશે.આ સમગ્ર બનાવ પછી આજુ બાજુના વિસ્તારના લોકો ઘણા નારાજ થયા હતા અહિયાં સોશીયલ મીડિયા ઉપર આ સમાચારના વાઈરલ થયા પછી ઘણા લોકો મહાદેવના મૃત્યુના જવાબદાર તેના કુટુંબ વાળાને ગણાવી રહ્યા છે. તેમજ આ પ્રકારની ઘટના તે બધા મા-બાપ માટે એક ઉદાહરણ છે જે પોતાના બાળકોના લગ્ન યોગ્ય ઉંમર થયા પહેલા જ કરી દે છે.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેમાં લગ્ન વાંછુક યુવકો માટે લાલબત્તી સમાન કિસ્સો પંચમહાલના કાલોલમાં સામે આવ્યો છે. પંચમહાલના કાલોલ તાલુકાના બરોલા ગામથી એક એવી ટોળકી ઝડપાઇ છે જે લગ્ન વાંચ્છુ યુવકોને પટાવી-ફોસલાવી પોતાની જાળમાં ફસાવીને યુવતી સાથે લગ્ન કરાવવાની લાલચ આપતી હતી, અને બાદમાં રૂપિયા પડાવી ગાયબ થઇ જતી હતી. શું છે આ લૂંટેરી દુલ્હન ગેંગનો કિસ્સો જોઈએ વિશેષ અહેવાલમાં.પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બરોલા ગામના સોમાભાઈ વણકરને પરિવારમાં એક પુત્ર અને બે દીકરીઓ છે.
તેઓ પોતાના એકના એક 23 વર્ષના પુત્ર અરવિંદ માટે વહુ શોધી રહ્યા હતા, ત્યારે સમાજના કોઈ વ્યક્તિએ તેમને એક ગરીબ પરિવારની દીકરી છે, પણ તેના માટે તેના માતાપિતાને એક લાખ રૂપિયા રોકડા આપવા પડશે. લગ્ન માટે ઉત્સુક યુવક અરવિંદ પોતાના માતાપિતાને લઇ અગાઉથી નક્કી એક જગ્યાએ છોકરી જોવા માટે ગયા હતા.જ્યાં છોકરીના માતા પિતા સાથે વાત કરી હતી અને અરવિંદને યુવતી ગમી ગઈ હતી. બંનેએ કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું હતું પણ ગત 24 જૂનના રોજ છોકરા છોકરી તરફી બંને પરિવારો બરોડા કોર્ટ બહાર ભેગા થયા અને આ બંને પક્ષ વચ્ચે વચેટિયાની ભૂમિકા ભજવનાર ઈસમોએ અરવિંદના પિતા સોમાભાઈ વણકર પાસેથી રોકડા રૂપિયા એક લાખ લઈ કોર્ટ મેરેજના નામે નોટોરાઈઝ એફિડેવિટ કરી આપી છોકરીને અરવિંદ સાથે તેના ગામ બરોલા મોકલી આપી.
માત્ર નોટરી જેવા દસ્તાવેજોના આધાર કોર્ટ મેરેજ માની બેઠેલ યુવક અરવિંદ પોતાની પરિણીતા સંગીતાને ઘરે લઈ આવ્યો હતો, અને સમાજમાં પોતાની પત્ની બતાવી હતી. પરિવાર પણ દીકરાના લગ્નથી હરખાયેલા હતા. લગ્ન વિધિ પતાવી સમી સાંજે ઘરે આવેલા નવયુગલને લગ્નની પ્રથમ રાત્રિ હોય એકાંત આપવા માટે ઘરના પાછળના ભાગે સૂવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.
આખા દિવસની લગ્ન પ્રક્રિયાની દોડભાગથી થાકી ગયેલા અરવિંદની આંખ લાગી ગઈ. મોડી રાત્રે પોતાની પાસે સૂતેલી પત્નીને જોતા તે બાજુમાં ન હતી. તેથી તેણે પરિવારને આ વાતની જાણ કરી હતી. નવોઢા અને માસુમ લાગતી સંગીતા પોતાના પતિ અરવિંદના ઘરેથી લગ્નની પ્રથમ રાત્રિએ જ પૂર્વઆયોજિત કાવતરા પ્રમાણે ફરાર થઇ ગઈ હતી. લૂંટેરી દુલ્હન એવી સંગીતાને શોધતા ગામ નજીકથી જ અંધારામાં ઉભેલી એક રીક્ષામાં તેના અન્ય ત્રણ સાથીઓ સાથે મળી આવી.
આ સમગ્ર મામલો ચર્ચાને ચગડોળે ચડતા બરોલા ગામ આખું ભેગું થઇ ગયું હતું. અરવિંદે પોતે લૂંટેરી દુલ્હન અને તેની ઠગ ટોળકીના કાવતરામાં કઈ રીતે છેતરાયા તે સમગ્ર મામલે કાલોલ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. સમગ્ર મામલો કાલોલ પોલીસ મથકે પહોંચ્યો હતો. કાલોલ પોલીસે ભોગ બનનાર યુવક અરવિંદ વણકરની ફરિયાદના આધારે ઠગ ટોળકીના ત્રણ ઈસમો તેમજ લૂંટેરી દુલ્હન એવી સંગીતાની ધરપકડ કરવામાં આવી.
જેના બાદ તેમના પૂછપરછ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી. તપાસ મુજબ, કાલોલ તાલુકાના જ વાંટા રીંછીયા ગામના અન્ય એક યુવક જશવંત સાથે પણ આ ઠગ ટોળકીએ લગ્નનું નાટક રચી રૂપિયા પડાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. અગાઉ આ ટોળકીના ભોગ બનેલા યુવક અરવિંદના સગા થતા એવા વાંટા રીંછીયા ગામના જશવંત મંગળભાઈ પરમારને પણ વચેટિયાઓએ અરવિંદની જેમ જ લગ્નની લાલચ આપી હતી. જશવંતને પણ છોકરી જોવા માટે આ ટોળકી લઇ ગઈ હતી અને તેવી જ મોડેસ ઓપરેન્ડીથી તેના લગ્ન કરાવ્યા હતા. જશવંત ઓછું ભણેલ અને છૂટક મજૂરી કરતો હોઈ લાચાર પિતાએ પોતાની જમીન ગિરવે મૂકી પુત્રનું ઘર વસાવવા જેમતેમ કરી એક લાખ રૂપિયાની વ્યવસ્થા કરી હતી.
કાલોલ તાલુકા ના બરોલા ગામ ના અરવિંદ વણકર અને વાંટા રીંછીયા ગામ ના જશવંત પરમાર બન્ને ને આ ટોળકી એ એક જ તારીખે બે અલગ અલગ યુવતીઓ બતાવી લગ્ન કરવા માટે બોલાવ્યા હતા અને તત્યાં બંને યુવકો ના કોર્ટ મેરેજ ના બહાને નોટરી કરી મેરેજ થઇ ગયા નું કહી ઘરે મોકલી દેવા માં આવ્યા હતા.30 વર્ષ વટાવી ચૂકેલ જશવંત પરમાર પોતાની પત્ની નામે નીલમ ને પોતાના ઘરે લઇ ને આવ્યો હતો.જ્યાં માત્ર 4 કલાક જેટલા જ સમય માં નીલમ પણ જશવંત ને આવું છું નું બહાનું બતાવી રફુચક્કર થઇ ગઈ હતી.