ભારતમાં ઘણા એવા અદભુત મંદિરો છે, જે કોઈ કારણસર ખાસ માનવામાં આવે છે. તમિલનાડુના વેલ્લોરથી સાત કિલોમીટર દૂર, તિરૂમલાઇ કોડીમાં આવા એક મંદિર છે, જેને શ્રી લક્ષ્મી નારાયણી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિર 1500 કિલો શુદ્ધ સોનાથી બનેલું છે. આ કારણોસર, તેને દક્ષિણ ભારતનું ‘સુવર્ણ મંદિર’ અથવા ‘ગોલ્ડન ટેમ્પલ’ કહેવામાં આવે છે.
જેમ અમૃતસરનું સુવર્ણ મંદિર ભારત સાથે વિશ્વભરમાં પ્રખ્યાત છે તેમ આ મંદિર પણ છે.શ્રીપુરમ ધાર્મિક કેન્દ્રમાં પ્રસિદ્ધ મહાલક્ષ્મી સ્વર્ણ મંદિર વેલ્લોર માં સ્થિત છે.આ મંદિર વેલ્લોર શહેરના દક્ષિણ ભાગમાં આવેલું છે.આ મહાલક્ષ્મી મંદિરના નિર્માણમાં લગભગ 15,000 કિલોગ્રામ વિશુદ્ધ સોનાનો ઉપયોગ થયો છે.સ્વર્ણ મંદિર શ્રીપુરમના નિર્માણમાં 300 કરોડ રૂપિયાથી કરતાં વધારે ખર્ચ થયો છે.
ભારતમાં ઘણા એવા અદભુત મંદિરો છે, જે કોઈ કારણસર ખાસ માનવામાં આવે છે. તમિલનાડુના વેલ્લોરથી સાત કિલોમીટર દૂર, તિરૂમલાઇ કોડીમાં આવા એક મંદિર છે, જેને શ્રી લક્ષ્મી નારાયણી મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિર 1500 કિલો શુદ્ધ સોનાથી બનેલું છે. આ કારણોસર, તેને દક્ષિણ ભારતનું ‘સુવર્ણ મંદિર’ અથવા ‘ગોલ્ડન ટેમ્પલ’ કહેવામાં આવે છે. જેમ અમૃતસરનું સુવર્ણ મંદિર ભારત સાથે વિશ્વભરમાં પ્રખ્યાત છે તેમ આ મંદિર પણ છે.
આ મંદિર લગભગ 100 એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે, જેને બાંધવામાં લગભગ સાત વર્ષ થયા છે. તેના બાંધકામમાં આશરે 300 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરના નિર્માણમાં જેટલા સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેટલું સોનુ વિશ્વમાં બીજા કોઈ મંદિરમાં ઉપયોગમાં નથી આવ્યું.જોકે, આ મંદિર દિવસ દરમિયાન પણ સૂર્યપ્રકાશમાં ખૂબ ચમકતું હોય છે પરંતુ ખાસ કરીને જ્યારે રાત્રે મંદિરમાં પ્રકાશ કરવામાં આવે છે.ત્યારે તેમાં સોનાની ચમક જોતા જ બને છે.
જોકે, આ મંદિર દિવસ દરમિયાન પણ સૂર્યપ્રકાશમાં ખૂબ ચમકતું હોય છે, પરંતુ ખાસ કરીને જ્યારે રાત્રે મંદિરમાં પ્રકાશ કરવામાં આવે છે, ત્યારે તેમાં સોનાની ચમક જોતા જ બને છે. આ મંદિર પ્રથમ વખત 24 ઓગસ્ટ 2007 ના રોજ દર્શન માટે ખોલવામાં આવ્યું હતું.
મંદિર પરિસરમાં આશરે 27 ફૂટ ઉંચાઈ પર એક દીપમાલા પણ છે, જેને પ્રગટાવવામાં આવે છે ત્યારે સોનાથી બનેલું આ મંદિર ખૂબ જ તેજસ્વી બને છે. મંદિરના નિર્માણમાં લાગેલા સોનાને લીધે, તેની સુરક્ષા માટે 24 કલાક પોલીસ કર્મચારી અને રક્ષકો તૈનાત રહે છે.
આ સુવર્ણ મંદિર વેલલોર સ્થિત ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી નારાયણી પીડમ દ્વારા બનાવવામાં આવ્યું છે, તેના અગ્રણી આધ્યાત્મિક નેતા શ્રી શક્તિ અમ્માને ‘નારાયણી અમ્મા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરની બાજુમાં શ્રી નારાયણી હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર છે, જે ‘શ્રી નારાયણી પીડમ’ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જ ચલાવવામાં આવે છે.